શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ વિશે

હોમ / અમારા વિશે / ટ્રસ્ટ વિશે
Welcome to Shree  Khodaldham  Trust -Kagvad

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડમાં આપનું સ્વાગત છે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ કરવામાં આવી હતી. લેઉવા પાટીદાર સમાજના સંગઠનને મજબુત બનાવવા અને આ સંસ્થા દ્વારા તમામ સમાજની એકતા થાય તે માટે.

ટ્રસ્ટ વિશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને આ સંગઠન થકી સર્વ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી મા ખોડલની ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી અને માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ કાગવડ ખાતે માતાજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથોસાથ જનજાગૃતિ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રમત-ગમત, જ્ઞાતિ વિકાસ માટેનો અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

happy community
ચાલો સાથે મળીને આપણે સુખી સમુદાય બનાવીએ
સ્વસ્થ અને શાંત વિચારશીલ સમાજ માટે સાથે વધતા સુખી સમુદાયની યાત્રામાં જોડાઓ.