શ્રી ખોડલધામ મંદિરને મળતું દાન એ આવકનો મુખ્ય સ્ત્રોત છે. શ્રદ્ધાળુઓ દ્વારા અપાતા દાનનો ઉપયોગ મંદિર પરિસરની જાળવણી અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં અપાતી તમામ સુવિધાઓ દાનની આવકથી જ પરિપૂર્ણ કરવામાં આવે છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શૈક્ષણિક કાર્ય, ખેતીલક્ષી કાર્યક્રમો, સમાધાન પંચ, મેરેજ બ્યૂરો, નારી સશક્તિકરણ, રમત-ગમત, કુદરતી આપત્તિ સમયે સહાય જેવા સમાજ ઉપયોગી સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને શ્રદ્ધાળુઓ દ્વારા મળતા દાનની રકમનો ઉપયોગ આવી સમાજ વિકાસની પ્રવૃત્તિઓ પાછળ કરવામાં આવે છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રોકડ, ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, ઓનલાઈન દાન સ્વીકારવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સોનું-ચાંદી અથવા કોઈ કિંમતી ઝવેરાત પણ મા ખોડલને અર્પણ કરી શકે છે. શ્રદ્ધાળુઓ ચીજ-વસ્તુઓ પણ દાનમાં આપી શકે છે. શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલી એડમિન ઓફિસમાં દાન વિન્ડો પર શ્રદ્ધાળુઓ દાન અર્પણ કરી શકે છે. મંદિરમાં રહેલી દાન પેટીમાં પણ શ્રદ્ધાળુઓ રોકડ રકમનું દાન અર્પણ કરી શકે છે. આ ઉપરાંત રાજકોટ ખાતે આવેલી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની મુખ્ય કાર્યાલયમાં પણ દાન અર્પણ કરી શકાય છે.
Bank Name
Account Number
IFSC Code
HDFC0000379
Account Number
03791450000314
Donations are accepted by Cheque/Cash in favour of SHREE KHODAL DHAM TRUST - KAGVAD to all the branches of following bank. Details are given below.
Send Chque/DD in favour of SHREE KHODAL DHAM TRUST - KAGVAD to the following address :
Shree Khodal Dham Trust - kagvad
Sardar Patel Bhavan -4th Floor,
New Mayaninagar, Alka Society,
Opp.Water Tank, Rajkot - 360004.
Gujarat (India)
Ph.No. : +91 281 2370101/102