ખોડલધામ મંદિર કેવી રીતે પહોંચવુ

હોમ / પ્રવાસન / કેવી રીતે પહોંચવું
કેવી રીતે ખોડલધામ મંદિર પહોંચવું
સડક માર્ગસડક માર્ગ
સડક માર્ગ

ખોડલધામ મંદિરનું અંતર જેતપુરથી 14 કિલોમીટર, રાજકોટથી  63 કિલોમીટર,  જૂનાગઢથી 48 કિલોમીટરનું અંતર થાય છે. મંદિરે પહોંચવા માટે ખાનગી વાહનો અને સરકારી બસ મળી રહે છે. રાજકોટ તરફથી આવનારે નેશનલ હાઈવે પર વિરપુર અને જેતપુર વચ્ચે આવતા કાગવડ ગામના બોર્ડથી કાગવડ તરફ વળી જવું. જૂનાગઢ તરફથી આવનારે જેતપુર અને વિરપુર વચ્ચે આવતા કાગવડ ગામના બોર્ડથી કાગવડ ગામ તરફ વળી જવુ. નેશનલ હાઈવેથી ખોડલધામ મંદિરનું અંતર માત્ર 4 કિલોમીટર છે.

રેલ માર્ગરેલ માર્ગ
રેલ માર્ગ

ખોડલધામ મંદિરથી નજીકનું રેલવે સ્ટેશન વિરપુર અને જેતપુર છે. જેતપુર (નવાગઢ) રેલવે સ્ટેશનથી 14.5 કિલોમીટરનું અંતર થાય છે, જ્યારે વિરપુર રેલવે સ્ટેશનથી 8.6 કિલોમીટરનું અંતર છે. રેલવે સ્ટેશનથી કોઈપણ ખાનગી વાહન મારફતે મંદિર પહોંચી શકાય છે.

હવાઈ માર્ગહવાઈ માર્ગ
હવાઈ માર્ગ

ખોડલધામ મંદિરથી નજીકનું હવાઈ મથક હિરાસર એરપોર્ટ- રાજકોટ (95કિલોમીટર) છે. હિરાસર એરપોર્ટથી સડક અથવા રેલમાર્ગે ખોડલધામ મંદિર સુધી પહોંચી શકાય છે.

Google Map

ખોડલધામ મંદિરથી વિવિધ જગ્યાના અંતરઃ

જૂનાગઢ- 48 કિલોમીટર

રાજકોટ- 63 કિલોમીટર

સાસણ-ગીર- 105 કિલોમીટર

પોરબંદર-126 કિલોમીટર

સોમનાથ- 143 કિલોમીટર

પાલિતાણા-  159 કિલોમીટર

ભાવનગર- 174 કિલોમીટર

દ્વારકા- 229 કિલોમીટર

happy community
ચાલો સાથે મળીને આપણે સુખી સમુદાય બનાવીએ
સ્વસ્થ અને શાંત વિચારશીલ સમાજ માટે સાથે વધતા સુખી સમુદાયની યાત્રામાં જોડાઓ.